PF ખાતાધારકો માટે મહત્વની જાહેરાત, હવે EPF પર મળશે આટલું વ્યાજ, સરકારે આપી મંજૂરી
નાણામંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું
EPFOએ સરકારને વ્યાજ દર માટે ભલામણ કરી હતી
નાણામંત્રાલયે નાણાકીય વર્ષ 2023 માટે કર્મચારી ભવિષ્ય નિધિ EPF પર 8.15 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. આ અગાઉ EPFOએ સરકારને આટલું જ વ્યાજ ચૂકવવાની ભલામણ કરી હતી. હવે નાણામંત્રાલયે આનો સ્વીકાર કરતા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
પહેલા દર 8.10 ટકા હતો
EPFOએ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવશે. આ પહેલા નાણાકીય વર્ષ 21-22 માટે આ દર 8.10 ટકા હતો જે અગાઉ માર્ચમાં EPFOએ તેની બે દિવસીય બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 2022-23 માટે EPF થાપણો પર વ્યાજ દરમાં વધારો કરવા માટે તેમજ તેને મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો, જેને આજે મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારની મંજૂરી મળ્યા બાદ, 2022-23 માટે EPF પર વ્યાજ દર EPFOના પાંચ કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
વ્યાજ દર ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડ્યો હતો
આ અગાઉ માર્ચ 2022માં EPFOએ 2021-22 માટે EPF પરના વ્યાજને તેના લગભગ પાંચ કરોડ સબ્સ્ક્રાઇબર્સ માટે 8.1 ટકાના ચાર દાયકાના નીચલા સ્તરે ઘટાડી દીધો હતો, જે અગાઉ 8.5 ટકા હતો. આ દર 1977-78 પછી સૌથી નીચો હતો, જ્યારે EPF પર 8 ટકા વ્યાજ દરનો ઉપયોગ થતો હતો. ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં EPFOએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પરનો વ્યાજ દર 2018-19 માટે 8.65% થી ઘટાડીને 2019-20 માટે 8.5%ના સાત વર્ષના નીચલા સ્તરે કર્યો હતો.
WHAT UP JOIN | |
FECEBOOK |