નેચર ચિત્ર // drawings
Beauty of Nature Colourful drawings for students parents teachers and schools
ચિત્રકલાના હેતુ :
ચિત્રકલાનું મહત્ત્વ જાશે.
સૌંદર્યભાવનાનો વિકાસ થાય.
અવલોકન શક્તિનો વિકાસ થાય.
કુદરતનાં તત્ત્વોને સમજવાનો પ્રયત્ન કરે. કલ્પનાશક્તિ વિકસે.
પ્રયોગશીલતાનો વિકાસ થાય.
સાંસ્કૃતિક કલાવારસાને જાણે અને માણે.
વિવિધ મૂલ્યો કેળવાય.
સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય.
પોતાના નવસર્જનનો આનંદ માણે. હસ્ત-કૌશલ્યનો વિકાસ થાય.
શોધ-શક્તિનો વિકાસ થાય. એકાગ્રતા વધે.
સર્જનશીલતાનો વિકાસ થાય.
સ્મૃતિ-શક્તિ સતેજ થાય. નવીન દૃષ્ટિ વિકસે.
આત્મવિશ્વાસ વધે.
વ્યાવસાયિક રીતે કલાનો ઉપયોગ કરે.
જીવનમાં કલાનો ઉપયોગ તથા અસરો :
- સ્વચ્છતા અને સૌંદર્યાત્મક અભિગમ કેળવે છે. ચોક્સાઈપૂર્વક કામ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આયોજનબદ્ધ કાર્યની ચીવટ રાખતાં શીખે છે. વાસ્તવિક જીવનમાં કલા દ્વારા ઘડતર થાય છે.
- આંતરિક ભાવનાઓને વ્યક્ત કરવાનું સબળ માધ્યમ છે.
- બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય છે. વિચારો, કલ્પનાઓ અને ભાવનાઓને વ્યક્ત કરવા મંથન કરે, જે શબ્દ સ્વરૂપે વ્યક્ત નથી કરી શક્તા, તે ચિત્ર સ્વરૂપે વ્યક્ત કરી શકે છે.
- પર્યાવરણમાં બનતી ઘટનાઓનો સ ીધો પડઘો તેમાં પાડી શકે છે. જે દ્વારા સમાજને વિવિધ સંદેશાઓ પહોંચાડી શકે છે.
- ચિત્રકલા શીખતાં અન્ય વિષયો શીખવા માટે ચિત્રકલાનો ઉપયોગ કરી પોતે જ માહિતીનું જ્ઞાનમાં રૂપાંતર કરે છે.
- ભવિષ્યમાં ચિત્રકલાનો વ્યાવસાયિક ધોરણે સફળતાપૂર્વક ઉપયોગ કરી સમાજમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકે છે.
- ચિત્રકલાથી એકાગ્રતાની ચરમ સીમા સુધી પહોંચી શકે છે.
- કલ્પનાશક્તિ, અવલોકનશક્તિ દ્વારા સર્જનાત્મક કૌશલ્યોનો વિકાસ સાધી શકે છે, જે અન્ય વિષયોમાં પણ ઉપયોગી થઈ શકે છે.
- ચિત્રકલાથી પરમ આનંદની અનુભૂતિ કરી શકાય જેના દ્વારા અન્ય શક્તિઓનો વિકાસ સાધી શકે છે.
- ચિત્રકલા દ્વારા રુચિ કેળવાય છે અને રુચિથી રસ ઉત્પન થાય છે અને રસથી ધારણા વધે છે, જે અન્ય વિષયોમાં ઉપયોગી નીવડે છે.
- સહભાગીદારિતા વધે છે. જૂથ-ભાવના વધે છે તથા કુદરત પ્રત્યે પ્રેમ સધાય છે. કુદરતને નિકટતાથી સમજી શકાય છે