પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો
પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.
ભારતમાં પંચાયતી રાજનો ઉદભવ અને વિકાસ :
વૈદિકકાળ થી ગામડાને મુળભૂત એકમ ગણવામાં આવે છે. ગ્રામપંચાયતનું અસ્તિત્વ પણ તેટલું જ પૌરાણિક છે.ઋગ્વેદ અને અથર્વવેદ માં જાહેર પ્રશ્નોની ચર્ચા કરી સભા નિર્ણય લેતી. પ્રાચીન ભારતમાં દરેક ગામ એક નાનકડું પ્રજાસત્તાક હતું તેમાં ગ્રામસભા વહિવટનું અગત્યનું અંગ ગણાતી.મહાભારતના શાંતિ પર્વમાં અને મનુસ્મૃતિમાં ગ્રામસભાના ઘણા ઉલ્લેખો જોવા મળે છે.બૌદ્ધ જાતક કથાઓ માં પણ ગ્રામસભાનો ઉલ્લેખ છે.ભારતમાં ગ્રામસમિતિઓનો વ્યવસ્થિત ધોરણે વિકાસ 'ગુપ્તશાસન' દરમ્યાન થયો, તે વખતે તેને 'પંચમકલીઓ' કે 'ગ્રામજન પદો ’ તરીકે ઓળખવામાં આવતા.ઉત્તર મેરૂ ગામમાંથી મળી આવેલ શિલાલેખોમાં પાંચ સમિતિઓનો ઉલ્લેખ જોવા મળે છે.સાતમી સદીની શરૂઆતમાં રાજસ્થાન માં પંચકૂળ નું લખાણ મળે છે, આવા જ ઉલ્લેખ કર્ણાટક ના ગંગ અભિલેખોમાં જોવા મળે છે.
આ પણ જાણો ગ્રામ પંચાયત વિષે👉સૌથી પહેલા ઈંગ્લેન્ડ ના ધોરણે 1688 માં મ્યુનિસિપલ કોર્પોરેશન ની રચના મદ્રાસ માં થઇ 👉1726 માં ચાર્ટર એક્ટ પસાર કરી મદ્રાસ ,કલકત્તા અને મુંબઈ માં મ્યુનિસિપલ કોર્પોરેશન ની રચના કરવામાં આવી . સ્થાનિક સ્વરાજના પિતા 👉 લોર્ડ રિપન છે . 👉રિપને 1882 માં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ ના સિદ્ધાંત નક્કી કર્યા . 1889 માં બોમ્બે સેનીટેશન એકટ પસાર કર્યાં . 👉1907 માં રોયલ કમિશન : વિકેન્દ્રીયકરણ ની ભલામણો કરી તેમને ગામના કુવા ઓ , તળાવ ,ધર્મશાળા ,બજાર ,પશુઓ વિગેરે માટે અલાયદી વ્યવસ્થા માટે સૂચવ્યું . 👉ગ્રામ પંચાયત કલમ 40 માર્ગદર્શક સિદ્ધાંતો : સ્વ શાશન માટે ગ્રામ પંચાયતો ને સત્તાઃ અને અધિકાર 👉 જવાહર લાલ નહેરુ ના હસ્તે 2 ઓક્ટોમ્બર ,1959 માં રાજસ્થાન ના નાગોર ખાતે પ્રસ્થાપિત થયો ,અને તેને "સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ" પણ કહેવામાં આવે છે |
પંચાયતી રાજ ગુજરાત માં
અશોક મહેતા સમિતિની મુખ્ય ભલામણો :
બંધારણમાં જરૂરી સુધારા કરીને સ્થાનિક સરકારની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો જોઈએ. |
સ્થાનિક સંસ્થાઓની ચુંટણી નિયમિત સમયાંતરે કરવી જોઈએ. ત્રિસ્તરીયના બદલે દ્વિસ્તરીય પંચાયત |
જિલ્લા પરિષદ કે પંચાયતની રચના સીધી ચૂંટણીથી થવી જોઈએ. તમામ વિકાસની પ્રવૃતિઓ જિલ્લા પરિષદને સોંપવી. |
પંચાયતોને સુપર સીડ કરવાની સત્તા મર્યાદિત કરવી. |
ન્યાય પંચાયત અને સામાજિક ઓડિટની વ્યવસ્થા દાખલ કરવી. |
મારી સાથે what up થી જોડાઓ |
મારી સાથે teligrem થી જોડાઓ |
૬૪મો બંધારણીય સુધારો
- → તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતની રાજની સ્થાપના.
- → સીધી ચુંટણીથી તમામ બેઠકો ભરવી.
- → અનુસૂચિત જાતિ / જન જાતિ માટે વસતિનાં પ્રમાણમાં અનામત બેઠકો.
- → સ્ત્રીઓ માટે ૩૦% અનામત.
- → પંચાયતોની મુદ્દત પાંચ વર્ષની, જો સુપરસીડ થાય તો ૬ મહિનામાં નવી ચુંટણી
- →દર ૫ વર્ષે રાજ્ય નાણાપંચની નિમણૂક.
- તમામ પંચાયતોની ચૂંટણીનું સંચાલન ભારતનાં ચૂંટણીપંચનાં અંકુશ હેઠળ થાય.તમામ પંચાયતોનાં હિસાબનું ઓડિટ ભારતનાં કટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા થાય.
રાજ્યસભામાં પૂરતા મત નહિ મળવાના કારણે તે નિરર્થક નીવડ્યું.ત્યારબાદ વી.પી.સિંઘ સરકારે થોડો-ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ ખરડો વિચારણામાં લેવાય તે પહેલાં જ લોકસભાનું વિસર્જન થયું.નવેસરથી લોકસભાની ચુંટણી થઈ તેમાં નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. તેમણે સંસદમાં બંને ગૃહોમાં બંધારણનો ૭૩ મો સુધારો અધિનિયમ ૧૯૯૨ પસાર કરાવ્યો. તે ૧૧મી અનુસૂચિ ઉમેરવામાં આવી |
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે અહીંયા પણ ક્લીક કરી શકો છો
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinqskLCn6TVHoWBCb2-ZH-gDIvwsIs4UQ4_O4znzSk174TJhOnxTaN1Ps5XXVu4qEHSNZP71M-ylbf5zeKVMienA-z7F08eWx1ljrQAW6oBk9ZF4t6i584u4HJy_F-toYJpdp62n4ufv1oFVE1JJWNTgcbNF20tSqvPzUA5hoqd3adTrhaKJorFOp4iw/w320-h182/tenor.gif)
નેશનલ એડયુકેશન પોલિસી 2020 | |
અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ | |
બાલા પ્રોજેક્ટ | |
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | |
પાઠ્યપુસ્તક મંડળ | |
રાજ્ય પરીક્ષા બોર્ડ | |
પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ | |
પર્યાવરણ પ્રયોગ શાળા |