નિબંધ કેવી રીતે લખવો _ How to write essay in Gujarati નિબંધ લેખન કઈ રીતે કરવું તેની પ્રાથમિક સમજણ

નિબંધ કેવી રીતે લખવો _ How to write essay in Gujarati નિબંધ લેખન કઈ રીતે કરવું તેની પ્રાથમિક સમજણ

Gujrat
0
નિબંધ કેવી રીતે લખવો _ How to write essay in Gujarati 
નિબંધ લેખન કઈ રીતે કરવું તેની પ્રાથમિક સમજણ
Nibandh lekhan in Gujarati: આજના ભણતરના સમયમાં નિબંધ લેખન એક એક મહત્વપૂર્ણ વિષય બની ગયો છે જેના થી વિધ્યાર્થી ની કલ્પના અને લેખન શક્તિ ની પરીક્ષા થાય છે. વિદ્યાર્થી જીવન માં એવ ઘણા પ્રસંગો આવે છે જ્યારે નિબંધ લેખન ની જરૂરિયાત હોય છે. આવીજ નિબંધ લેખન ની જરૂરિયાત ને ધ્યાન માં રાખી અમે આપના માટે અહી અલગ અલગ વિષયો ના નિબંધ ને લાવીશું જે વિદ્યાર્થી ને ખુબજ ઉપયોગી બને. આ લેખ વતી અમે આપણે નિબંધ એટલે શું અને તે કેવી રીતે લખાય (How to write essay in Gujarati) તેની પ્રાથમિક સમજ આપવાનો પ્રયત્ન કરીશું.

👉નિબંધ એટલે શું?

ઘણા લોકો ને મનમાં આ પ્રકાર નો પ્રશ્ન થતો હોય છે કે નિબંધ એટલે શું અને તે કેવી રીતે લખાય? અહી અમે આપને નિબંધ વિશે આસન ભાષા માં સમજાવીશુ.

સામાન્ય રીતે જોઈએ તો નિબંધ એ એક ગદ્યનો પ્રકાર છે.”

નિબંધ નો અર્થ જ થાય છે બાંધેલું અર્થાત “ઍક તાંતણે બાંધેલું” કોઈપણ નિબંધ સમાન ભાવ અને લેખન પદ્ધતિ થી લખાયેલો હોય છે. વિશેષ વિષય પર નિબંધ લખવાનો અર્થ થાય છે કે તે વિષયના સંદર્ભ માં ગદ્ય સ્વરૂપ માં એવિ માહિત પ્રદાન કરવી જે વાંચનાર વ્યક્તિ સરળતા થી તે વિષય ને સમજી શકે. સરળતા થી નિબંધ ને સમજી શકાય તે માટે તેની લેખન પદ્ધતિ ખુબજ મહત્વ પૂર્ણ હોય છે.

👉એક સુંદર નિબંધ લેખન કેવી રીતે લખવો?

👫Important link










એક સુંદર નિબંધ લખવા માટે ઘણા બધા પરિબળો અસરકારતા હોય છે. જેવાકે, વાક્ય નો ઉપયોગ, નિબંધ ની લંબાઈ, ભાષા નો ઉપયોગ, અને નિબંધ નું બંધારણ. એક સુંદર નિબંધ આ બધા પરિબળો નો સુગમ સમન્વય હોય છે.

👉નિબંધ વિશે pdf. જાણકારી 



👉Important link 2

નિબંધ લેખન આયોજન









વાક્ય ની નિબંધ લેખન પર અસર: નિબંધ લેખન માં વાક્ય ની લંબાઈ અને તેનો અનુપ્રયોગ ખુબજ મહત્વ રાખે છે. વાક્ય ની લંબાઈ ઘણી વધારે કે સાવ થોડી ન હોવી જોઈએ.

નિબંધ ની લંબાઈ: તે એક વિષય ને ટૂંક માં ગદ્ય સ્વરૂપ માં સમજાવાની પદ્ધતિ છે. જેથી તે ખુબજ લાંબો કે સાવ ટૂંકો પણ ન હોવો જોઈએ. વિદ્યાર્થી માટે તેની લંબાઈ આવશ્યકતા અનુસાર જ હોવી જોઈએ.

નિબંધ લેખન માં પ્રયોગ થનાર ભાષા: નિબંધ માં ઉપયોગ માં લેવાતી ભાષા એકદમ સરળ અને વાંચનાર વ્યક્તિ તેને સરળતા થી સમજી શકે તે પ્રકારે હોવી જોઈએ. સાથે તેમાં ભાવ પણ પ્રદર્શિત થવો જોઈએ.


નિબંધ લેખન નું બંધારણ કેવું બનાવવું?

કોઈ પણ નિબંધલેખન ની પ્રક્રિયા ને ત્રણ પ્રકાર માં વહેચી શકાય છે. જેમાં પ્રથમ “પૂર્વભૂમિકા” આવે છે. બીજા ક્રમે “વિષય વિસ્તાર” અને ત્રીજા ક્રમે “નિષ્કર્ષ” હોય છે.

પૂર્વભૂમિકા માં નિબંધ ના વિશે “થોડીક” માહિતી આપો જે વાંચવાથી નિબંધ વાંચનાર ને થોડો ખ્યાલ પણ આવે વિષય બાબતે અને કંટાળો પણ ના આવે.

વિષય વિસ્તાર માં નિબંધ ના વિષય ના સંદર્ભ માં લખવાનું હોય છે. અહી કોઈ પણ ફકરાની લંબાઈ અતિવધારે ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આને પહેલા થોડા પોઈન્ટ બનાવી ને અલગ થી રાખી પછી નિબંધ માં ફકરા સ્વરૂપે લખી શકાય છે.

નિષ્કર્ષ જે નિબંધ નું તારણ દર્શાવે છે અને કોઈક કિસ્સા માં તે આપનો અભિપ્રાય પણ માંગતો હોય શકે છે. તેની લંબાઈ પણ વધારે ના હોવી જોઈએ. સરળ અને સટીક ભાષા નો ઉપયોગ આવશ્યક છે.

👉નિબંધ લખતા પહેલા તે વિષય પર વિચાર કરવું. અને તેની ઉપયોગી બાબતો

 (અ) નિબંધને પાઈંટસમાં વહેચી લેવું જોઈએ. 
 (બ) આ પોઈંટસના સબપોઈંટમાં વહેચી લેવું. 
 (ક) વધારે નહી તો પ્રસ્તાવના, મધ્ય અને ઉપસંહાર તો હોવું જ જોઈએ. 
2. ભાષા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. 
3. વિચારને ક્રમબદ્દ રૂપથી સ્પષ્ટ કરવું જોઈએ. 
4. વિચારોની પુનરાવૃતિથી બચવું જોઈએ. 
5. ભાષા સબંધી ભૂલ દૂર કરવી. 
6. લખ્યા પછી તેને વાંચવું અને તેમાં જરૂરી સુધાર કરવું જોઈએ. 
7. જો સમય હોય તો તેને ફરીથી સુંદર સુવાચ્ય અક્ષરોમાં લખવું. 
8. કોઈ ઉપયુક્ત કથન હોય તો તેને યોગ્ય સ્થાન જોડવું. 
 
યાદ રાખો 
1. નિબંધ પરીક્ષા કૉપીના બે કે ત્રણ પેજથી વધારે ન હોય 
2. પાઈટ વાઈજ એટલે શીર્ષકમાં લખવું 
3. શીર્ષકને અંડરલાઈન કરવી ન ભૂલવું



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !